કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિજાપુરમાં ફરીયાદ
વારાણસીમાં પિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાનો વ્યૂહ
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોરનું ઉપનામ આપી નિરવ મોદી, લલીત મોદી, મહુલ ચોકસી સાથે સરખાવી વડાપ્રધાન મોદીને ચોકીદાર સો ટકા ચોર છે તેવું કહેનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૃદ્ધ વિજાપુરના કાશીપુરામા રહેતા અને સ્થાનિક મોદી સમાજના માનદ મંત્રી સુહિત અશોકકુમાર મોદીએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૧પ૪ અંતર્ગત ફરીયાદ નોંધવા અરજી કરી એવી રજુઆત કરી છે કે રાહુલ ગાંધીએ ચુંટણી પ્રચાર દરમ્યાન બેંગ્લુરુથી ૧૦૦ કી.મી. દુર ગત તા. ૧૩ એપ્રિલના રોજ યોજાયેલી જનસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ચોરનું ઉપનામ આપી તેમની સરખામણી દેશના આર્થીક ગુનેગાર નિરવ મોદી, મેહુલ ચોકસી, લલીત મોદી, વિજય માલ્યા સાથે કરીને સભામાં ઉપસ્થિત જનમેદનીને એવું જાહેરમાુ પૂછેલું કે બધા ચોરીના ઉપનામ મોદી કેમ હોય છે.