ભાજપ ત્રિપલ મર્ડરના આરોપી મારફત હાર્દિક પટેલની હત્યા કરાવી શકે ;નિખિલ સવાણીનું ચોંકાવનારું નિવેદન
જો હાર્દિકનું મર્ડર થશે તો તમામ જવાબદારી ગુજરાત પોલીસની રહેશે
અમદાવાદમાં નિકોલના વિરાટનગર વિસ્તારમાં હાર્દિક પટેલની સભામાં સભામાં હોબાળા બાદ હાર્દિક પટેલના સાથી નીખીલ સાવણી દ્વારા ચોંકાવનારું નિવેદન આપાવમાં આવ્યું છે.
નીખીલ સવાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રિપલ મર્ડરના આરોપી મારફત હાર્દિક પટેલની હત્યા કરી શકે છે. તેવું ચોકાવનારુ નિવેદન આપવામાં આવ્યું હતું. અને ગુજરાત પોલીસને જાણ કરી હતી કે, જો હાર્દિકનું મર્ડર થશે તો તમામ જવાબદારી ગુજરાત પોલીસની રહેશે તેવું ઉમેર્યું હતું.
અત્રે ઉલેલ્ખનીય છે કે નિકોલ પાસે વિરાટ નગરમાં યોજાયેલી હાર્દિક પટેલની સભામાં છુટ્ટા હાથની મારામારી કરવામાં આવતા પોલીસ દ્વારા આ મામલે લોકોના ટોળાને ઠાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલની સભામાં પ્રચાર કરવામાં માટે પહોંચ્યો હતો.