ગુજરાત
News of Saturday, 21st April 2018

છત્તિસગઢ ખાતે સદાકાળ ગુજરાતના કાર્યક્રમનો પ્રારંભ કરાવવા પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું એરપોર્ટ ખાતે ગુજરાતી સમાજ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું

ગાંધીનગર : છત્તીસગઢમાં 'સદાકાળ 'ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવવા પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું એરપોર્ટ ખાતે ગુજરાતી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

છત્તીસગઢના મુખ્યમંત્રી ડૉ. રમણસિંહની વિશેષ ઉપસ્થિતિમાં રાયપૂરના પંડિત દીનદયાળ ઓડીટોરિયમમાં યોજાનારા સદાકાળ ગુજરાત કર્યક્રમમાં ગુજરાત રાજ્યની સંસ્કૃતિ-અસ્મિતાની પ્રસ્તૃતિ તેમજ વિકાસ ગાથાની ઝાંખી કરાવતું ૪૩ સ્ટોલ્સ સાથેનું પ્રદર્શન પણ આ કાર્યક્રમમાં યોજાશે. બિન નિવાસી ગુજરાતી વિભાગનાં મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેશે.

  મુખ્યમંત્રી રૂપાણી બિન નિવાસી ગુજરાતીઓની આગવી ઓળખ પ્રસ્થાપિત કરતા ગુજરાત કાર્ડનું છત્તીસગઢમાં વસતા ગુજરાતીઓને વિતરણ કરશે તેમજ રાજ્યના પ્રવાસન વૈવિધ્યની તલસ્પર્શી માહિતી પૂરી પાડતા પ્રવાસન માહિતી કેન્દ્રને પણ ખૂલ્લું મૂકશે.

(4:14 pm IST)