News of Tuesday, 21st March 2023
તરોપા ગામથી પરણિત મહિલા ગુમ થતા પતિ એ પોલીસ ની મદદ માંગી
(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામમાંથી પરણિત મહિલા ગુમ થતા પતિ એ પોલીસની મદદ માંગી છે
મળતી માહિતી અનુસાર મનીષભાઈ પ્રહલાદભાઈ વસાવા (રહે. તરોપા ખ્રિસ્તી ફળિયા) નાઓએ આમલેથા પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પત્ની અલ્પાબેન ઉર્ફે અન્નું મનિષભાઈ વસાવા (ઉવઆ. ૩૦ )(રહે તરોપા ખ્રિસ્તીફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )નાની તા.૦૯/૦૩/ ૨૦૨૩ ના રોજ કલાક ૦૯/૦૦ થી ૦૯/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે કોઇને કંઈક કહ્યા વિના કયાંક જતી રહેલ જે આજદિન સુધી મળી નહિ આવતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
(10:28 pm IST)