ગુજરાત
News of Thursday, 21st March 2019

યાત્રાધામ ડાકોરમાં ખેતરમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભુકતા સૂકો પાક સળગી ઉઠ્યો

ડાકોર: શહેરમાં એક તરફ ફાગણી પૂનમની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ રાધાકુંડ પાસે ગત સાંજે આગની ઘટના બની હતી. રાધાકુંડ પાસે આવેલ નારાયણ ફાર્મમાંથી પસાર થતી હાઇટેન્સન વીજ લાઇનમાં કોઇ ફોલ્ટ થતા વાયરમાં તણખા થયા હતા, જે તણખા જમીન પર ઉભેલા પાક પર પડતા જ સુકો પાણ ભડભડ સળગવા લાગ્યો હતો. 
તૈયાર થઇને ઉભેલા ડાંગરના ડોડામાં તણખા ઝરતા જ પાકે આગ પકડી લીધી હતી, જે બાદ પવનના કારણે આગ ખેતરના ઘણા મોટા વિસ્તારમાં ફેલાઇ હતી. જોકે ફાગણી પૂનમને લઇ ડાકોર ખાતે તૈનાત આણંદ ફાયર બ્રિગેડ દ્વારા તુરંત ઘટનાસ્થળ પર પહોચી પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે ખેતરના પાકને વધારે નુકસાન થતુ અટક્યું હતું. 

(2:34 pm IST)