ગુજરાત
News of Wednesday, 21st March 2018

કોંગી ધારાસભ્યોના સસ્પેન્શનના મુદ્દે સમાધાન માટે ફરી પ્રયાસો

ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠકોના દોરઃ સસ્પેન્શન અને સ્પીકર સામેની અવિશ્વાસ દરખાસ્ત એકબીજા પર આધારિત

ગાંધીનગર, તા. ૨૧ :. વિધાનસભામાંથી કોંગ્રેસના ૩ ધારાસભ્યોને ૩ વર્ષ માટે સસ્પેન્ડ કરાતા અને કોંગ્રેસ દ્વારા ગૃહના અધ્યક્ષ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકાતા બન્ને મુદ્દે સમાધાન માટે આજે વિધાનસભામાં સરકાર અને કોંગ્રેસના ટોચના આગેવાનો વચ્ચે નવેસરથી બેઠકોનો દોર શરૂ થયો છે.

કોંગી ધારાસભ્યોની સજા માફ થાય અથવા હળવી થાય તેવી માંગણી કોંગ્રેસે મુકી છે. બીજી તરફ ભાજપે અવિશ્વાસ દરખાસ્ત મુદ્દે કોંગ્રેસને પીછેહઠ કરાવવા માટે આગ્રહ રાખ્યો છે. બન્ને પક્ષે આશાસ્પદ વાતાવરણમાં વાતચીત ચાલી રહી છે. સમાધાનના મુદ્દે વિજય રૂપાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પરેશ ધાનાણી, શૈલેષ પરમાર વગેરે વચ્ચે વાતચીત ચાલી રહી છે.

(3:11 pm IST)