ગુજરાત
News of Wednesday, 21st March 2018

ધરમપુરમાં કોંગ્રેસની જિલ્લા કારોબારીમાં મોટાભાગના ગેરહાજર રહેતા કાર્યકર્તાઓનો હોબાળો : જિલ્લા પ્રમુખ વિરુદ્ધ રોષ ઠાલવ્યો

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કોઈ જ પગલાં નહિ લેવાતા હોવાની હૈયાવરાળ ઠાલવી

 

વલસાડના ધરમપુરમાં યોજાયેલ કોંગ્રસની જિલ્લા કારોબારીમાં મોટાભાગના સભ્યો ગેરહાજર રહેતા કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો જિલ્લા કારોબારીમાં મોટા ભાગના સભ્યો ગેરહાજર રહેતા કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો અને પક્ષ માટે કામ કરતા પાયાના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાના મુદ્દે કાર્યકર્તાઓએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

 

  કાર્યકર્તાઓએ એવી હૈયાવરાળ કાઢી હતી કે જે પક્ષના વફાદાર નથી તેમના પર કોઇ કાર્યવાહી નથી થતી. રાજ્યના તમામ જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓ સામે પગલાં લેવાય છે પરંતુ વલસાડમાં કોઇ પગલાં લેવાતા કાર્યકર્તાઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે

 

(9:37 am IST)