ગુજરાત
News of Thursday, 21st January 2021

ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે વિરોધ

કોમર્સમાં 8 હાજરથી વધુ બેઠકો ખાલી : પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અરજીઓ કરી હોવા છતાં યુનિવર્સિટી પ્રવેશ આપતી નથી: NSUIએ આક્ષેપ કર્યો

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં NSUIએ કોમર્સમાં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં NSUIએ આક્ષેપ કર્યો છે કે કોમર્સમાં 8 હજારથી વધારે બેઠકો ખાલી છે. તેમજ પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અરજીઓ કરી હોવા છતાં યુનિવર્સિટી પ્રવેશ આપતી નથી.

જેમાં હજુ પણ 1,400 વિદ્યાર્થીઓ કોમર્સમાં પ્રવેશ માટે કરી અરજી હતી. જ્યારે બેઠકો ખાલી હોવા છતાં યુનિવર્સિટી નથી આપતી નથી. એનએસયુઆઈએ માંગ કરી છે કે હાલ 26 જાન્યુઆરી એનરોલમેન્ટ માટેની છેલ્લી તારીખ છે, તેથી પ્રવેશ વંચિત લોકોને 26 જાન્યુઆરી પહેલા પ્રવેશ ફાળવવા માટેની માંગ કરી હતી.

(7:23 pm IST)