અમદાવાદમાં ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેવિંગ એક્ટ પ્રકરણમાં ધરપકડ કરાયેલ આરોપીના ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર
અમદાવાદઃ ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટની જોગવાઈઓના આધારે ધરપકડ કરાયેલા આરોપીના ગુરુવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા છે.
ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેંચે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ જારી સ્પેશ્યલ કોર્ટના રિમાન્ડ ઓર્ડરને રદ કર્યા બાદ ગુરુવારે આરોપી અહેમદ પટેલના જામીન મંજુર કર્યા છે. આરોપી અહેમદ પટેલનો કબ્જો મેળવવા માટે તેના પુત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી.
વર્ષ 1987માં હરીશ શેઠ દ્વારા અશાંતધારાના કાયદા હેઠળ અહેમદ પટેલ સાથે મિલકત સંબંધી વેચાણ કરાર કરવામાં આવ્યા હતા. જોકે વર્ષ 2006માં તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર પ્રણવે અહેમદ પટેલ સામે અશાંતધારના કાયદા હેઠળ વાંધો વ્યક્ત કર્યો હતો.
ચાલુ જાન્યુઆરી મહિનામાં પ્રણવ શેઠે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ અહેમદ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી અને જ્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.