મહાનગરોમાં 'મૂરતિયા' મેળા : ભાજપે નિરીક્ષકો મુકયા
તા. રપ થી ર૭ વચ્ચે સેન્સ લેવાશેઃ રાજકોટ માટે બોખીરિયા, અમીન, ગઢવી વગેરેની નિમણુંક : કવાડિયા, કુંડારીયા, જૈમનભાઇ, બીનાબેન, દર્શિતાબેન વગેરેને ભાવનગરની જવાબદારી : જામનગરમાં ગોવિંદભાઇ, જયેશ વ્યાસ, જશુબેન, જયોતિબેન, બાબુભાઇ જેબલિયા
રાજકોટ તા. ર૧ :.. પ્રદેશ ભાજપ દ્વારા ૬ મહાનગરોની ચૂંટણીમાં કાર્યકરોની સેન્સ લેવા માટે નિરીક્ષકોની નિમણુક કરવામાં આવી છે. તમામ નિરીક્ષકોને તા. રપ થી ર૭ વચ્ચે સેન્સ પ્રક્રિયા આટોપવા માટે જણાવાયું છે. ત્રણ - ત્રણ નિરીક્ષકોની ટીમ નકકી કરેલા વોર્ડમાં અપેક્ષિત કાર્યકરોની સેન્સ લઇ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં અહેવાલ રજુ કરશે. સૌરાષ્ટ્રના ૩ મહાનગરો માટેનાં નિરીક્ષકોના નામ નીચે મુજબ છે.
રાજકોટ
* બાબુભાઇ બોખીરીયા, ભરતસિંહ ગોહીલ, બિજલ પટેલ
* નરહરિ અમીન, માધાભાઇ બોરીયા, નીમુબેન બાંભણીયા
* મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપ ત્રિવેદી, આદ્યશકિત મજમુદાર
* પુષ્પદાન ગઢવી, ગીરીશ શાહ, જાગૃતિ પંડયા જામનગર
* રાજેષ ચુડાસમા, જયેશ વ્યાસ, જશુમતી કોરાટ
* ગોવિંદભાઇ પટેલ, ગૌતમ ગેડિયા, આરતી જોષી
* બાબુભાઇ જેબલિયા, સુરેશ ધાંધલીયા, જયોતિ વાઘાણી ભાવનગર
* જયંતી કુવાડીયા, હસમુખ હીંડોચા, બીના આચાર્ય,
* મોહનભાઇ કુંડરિયા, ભરત કાનાબાર, ડો. દર્શિતા શાહ
* ઝવેરીભાઇ ઠકરાર, જૈમન ઉપાધ્યાય, અમી પરિખ