News of Wednesday, 7th April 2021
અમદાવાદમાં દર્દીઓને ICU બેડ અને વેન્ટીલેટર મળતા નથી : 1200 બેડની SVP હોસ્પિટલમાં માત્ર 300 જ ICU બેડ
કોરોનાના વધતા કેસો વચ્ચે દર્દીઓને પડતી હાલાકીને લઈને શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહાર
અમદાવાદ : કોરોનાના વધતા કેસોને લઇને કોંગ્રેસના દિગજ્જ નેતા શક્તિસિંહ ગોહિલે દર્દીઓને પડી રહેલી હાલાકીને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે.
શક્તીસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાનો કહેર પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદમાં દર્દીને ICU બેડ અને વેન્ટીલેટર નથી મળતા. SVP કે પ્રતિષ્ઠિત હોસ્પિટલ છે. 1200 બેડની હોસ્પિટલમાં માત્ર 300 જ ICU બેડ છે. લોકોને મુશ્કેલી પડે છે છતા જવાબ સુધ્ધા કોઇ આપવા હોતું નથી. આ તે કેવા પ્રકારનું મેનેજમેન્ટ છે? અમને ઘણા લોકો તરફથી મદદ માટે ફોન આવ્યા હતા.
(10:28 am IST)