ગુજરાત
News of Wednesday, 7th April 2021

સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો બંધ રહેશે : કાળુપુર સ્વામિનારાયણ મંદિરનો મોટો નિર્ણય

કોરોનાની સ્થિતિને જોતા મંદિર પ્રશાસને નિર્ણય લીધો :ભક્તોને ઘરેથી જ ભક્તિ કરવાની અપીલ

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે ન વધે એટલા રાતે અને રાતે ન વધે એટલા દિવસે વધી રહ્યા છે ત્યારે હવે કોરોનાને લઈ સ્વામિનારાયણ સંપ્રાયે મોટો નિર્ણય લીધો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલ કાળુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયએ નિર્ણય લીધો છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો બંધ રેહશે. કોરોનાની સ્થિતિને જોતા મંદિર પ્રશાસને આ નિર્ણય લીધો. અનિશ્ચિત મુદત સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ભક્તોને ઘરેથી જ ભક્તિ કરવાની અપીલ કરવામાં આવી છે.

(9:57 am IST)