ઠાસરા તાલુકાના કોટલીડોરા ગામે સાસરિયાના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી મહિલાએ જીવન ટૂંકાવ્યું
ઠાસરા:તાલુકાના કોટલીડોરા ગામે બે વ્યક્તિઓએ સ્ત્રીને શારીરિક માનસિક ત્રાસ આપતા મહિલાએ નહેરમાં પડી જીવન ટુકાવ્યુ છે. આ બનાવ અંગે ડાકોર પોલીસે બે વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોટલીડોરાના મંગળપુરા ગામે રહેતા બળદેવસિંહ ચાવડા અને તેમના પિતા રમણસિંહ પુત્રવધુ પર ખોટા વ્હેમ રાખતા હતા.વળી પતિ અને સસરા મરણજનારનો પુત્ર હાર્દિક અમારો છોકરો નથી તેમ વારંવાર કહ્યા કરી માનસિંક ત્રાસ આપતા હતા.
અવારનવાર હેરાનગતિ કરતા હોવાના કારણે મહિલાથી ત્રાસ સહન ન થતા ગત તા.૧૬-૨-૨૦૨૧ ના રોજ મહિલાએ નહેરના પાણીમાં પડી આપધાત કર્યો હતો.આ બનાવ અંગે જગદીશભાઇ પૂંજાભાઇ વાધેલા રહે,રાજનગર ચકલાસીએ ડાકોર પોલીસ મથકે બળદેવસિંહ રમણસિંહ ચાવડા અને રમણસિંહ છત્રસિંહ ચાવડા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.