ગુજરાત
News of Monday, 22nd February 2021

ભિલોડા તાલુકાના પાદરા ગામે પિતાને મારી નાખવાની અદાવત રાખી 14 લોકોએ જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

ભિલોડા:તાલુકાના પાદરા ગામે પિતાને મારી નાખવાની અદાવત રાખી ૧૪ લોકોએ એકસંપ થઈ ફરીયાદી બહેનના ઘર ઉપર હુમલો કર્યો હતો અને રતીલાલ મોરી ફરીયાદી રેખાબેન મોરી ને કહેલ કે મારા પિતાને તારા પતિ તથા જેઠદિયર અને સસરાએ મારી નાખેલ છે. જેથી તેઓને જેલમાં પુરાવી દીધા છે. અને હવે તમોને અહીંયા રહેવા દઈશું નહી. તેમ કહી હુમલો કર્યો હતો અને ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાઈ હતી. પોલીસે ૧૪ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડાના પાદરા ગામના રેખાબેન જગદીશભાઈ મોરીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ બે માસ અગાઉ તેઓ ગીતાબેન ના ઘરે હતા.તે દરમ્યાન ૧૪ લોકો ટ્રેકટરમાં એકસંપ થઈ આવી ચડયા હતા. તે દરમિયાન રતીલાલ સુકાજી મોરી કહેતો હતો કે મારા પિતાને તારા પતિ તથા જેઠદિયર અને સસરા મારી નાખેલ છે જેની અદાવત રાખી હુમલો કર્યો હતો.જેથી તેઓને જેલમાં પુરાવી દીધા છે તમને અહીયાં રહેવા દઈશું નહીતમો ઘર ખાલી કરી જતાં રહો,તેમ કહેતાં રેખાબેન મોરી કહેલ કે તમારા પિતા કઈં રીતે મરી ગયા તે અમે જાણતા નથી. તમો ખોટી રીતે મારા પરિવારના માણસો ઉપર કેમ ફરીયાદ આપી છે. તેમ કહેતાં રતીલાલ મોરી ઉશ્કેરાઈ ગયો હતો અને મંજુલાબેન ના માથાના વાળ પકડી નીચે પાડી દઈ ગળદાપાટુનો માર મારવા લાગ્યો હતો. ૧૪ લોકો એકસંપ થઈ  હાથમાં લાકડી લઈ કહેતાં હતા કે બે દિવસમાં ઘર ખાલી કરી જતાં રહેજો નહીતર તમોને ઘરમાં સળગાવી દઈ મારી નાખીશું. અને ઘર આગળ રહેલ મકાઈનું સુકુ ઘાસ સળગાવી દઈ નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

(5:49 pm IST)