ગુજરાત
News of Monday, 22nd February 2021

મહાનગરોમાંથી પરવારેલા કાર્યકરો હવે પ્રચાર માટે ગામડા ખૂંદશે

ર૮ મીએ ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો, ર૩૧ તાલુકા પંચાયતોમાં મતદાન

રાજકોટ, તા. રર :  રાજયના ૬ મહાનગરોમાં ગઇકાલે મતદાન પણ થઇ ગયું છે. મતગણતરી માટે આવતીકાલનાં દિવસ નકકી થયાં છે. ભાજપ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અનય પક્ષો અને અપક્ષો તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પણ મેદાને છે. ૬ મહાનગરોમાંથી પરવારેલા કાર્યકરો હવે પંચાયતો અને પાલિકાઓ માટે પ્રચારમાં ઉતરી પડશે.

આવતા રવિવારે રાજયમાં ૮૧ સુધરાઇઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ર૩૧ તાલુકા પંચાયતોમાં મતદાન છે. ત્યાં શુક્રવાર સુધી જાહેર પ્રચાર થનાર છે. મહાનગરો તથા ગામડાઓમાં પ્રચારના અમુક મુદ્દા સરખા અને અમુક જુદા છે. ગામડાઓમાં ખેડૂત વર્ગ નિર્ણાયક ગણાય છે. વધુ મતદાન કરાવવા પક્ષો નવી વ્યુહરચના ઘડી રહ્યા છે.

(11:37 am IST)