ગુજરાત
News of Thursday, 13th February 2020

સુરતના નાનપુરા કૈલાશનગરમાં જાહેરમાં બે લોકો પર જીવલેણ હુમલો : ચપ્પુના ઘા ઝીકી આરોપીઓ ફરાર

 

સુરતના નાનપુરા કૈલાશ નગરમાં બે લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જાહેરમાં કેટલાક શખ્શો બે લોકોને ચપ્પુના ઘા મારી ફરાર થઇ ગયા હતા. થોડા મહિના પહેલા એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આરોપીના માતા પિતા પર જીવલેણ હુમલો કરાયો હતો. બંને ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે

 

(11:09 pm IST)