ગુજરાત
News of Wednesday, 14th August 2019

ધો,12 સાયન્સમાં નાપાસ વિદ્યાર્થીઓએ માર્ચમાં જુના અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપી શકશે

સેમેસ્ટર પદ્ધતિ સિવાયના માટે ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણંય

 

અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થી, વાલીઓ અને શાળાના માર્ગદર્શન માટે સ્પષ્ટતા કરી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તેઓની માર્ચ 2020માં યોજાનારી પરીક્ષામાં જૂના અભ્યાસ ક્રમ પ્રમાણે પરીક્ષા આપી શકશે.

  બોર્ડે ની  યાદી પ્રમાણે ધોરણ 12, વિજ્ઞાન પ્રવાહ .મા.પ્ર. પરીક્ષા, માર્ચ - 2019 તેમજ જુલાઇ પૂર પરીક્ષા 2019માં પરીક્ષા આપેલી હોય અને અનુતિર્ણ થયા હોય તેવા (સેમેસ્ટર પદ્ધતિ સિવાયના) વિદ્યાર્થીઓની માર્ચ-2020માં જૂના અભ્યાક્રમ મુજબ એટલે કે માર્ચ-2019 પરીક્ષામાં અમલી હતો તે અભ્યાસ ક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે.

(11:08 pm IST)