ગુજરાત
News of Tuesday, 13th August 2019

નડિયાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પરથી નીચે પટકાતા 35 વર્ષીય શખ્સનું કમકમાટીભર્યું મોત

નડિયાદ:રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ નં-૨ પર ગતરોજ આવેલ વલસાડ-વિરમગામ લોકલ ટ્રેનમાંથી પડી જતાં એક અજાણ્યા ૩૫ વર્ષના આશરાના યુવકનું મોત નિપજ્યું હતું. 

આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મરનાર યુવકની ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે. 

 

(6:14 pm IST)