News of Tuesday, 13th August 2019
વડોદરાના એમ.જી.રોડ પર ત્રણ પોળમાંથી તસ્કરોએ 3 લાખની મતાની તફડંચી કરી
વડોદરા: શહેરના એમ.જી.રોડ નરસિંહજીની પોળમાં ભાણીશેરીના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો સાત પાસપોર્ટ, બેંકના લોકરની ચાવી, અઢીસો ડોલર, ૧૫૦ પાઉન્ડ મળીને ૨.૯૨ લાખ રૃપિયાની મત્તા ચોરી ગયા હતા.
શહેરના મધ્યમાં આવેલા એમ.જી. રોડ પર નરસિંહજીની પોળ ભાણીશેરીમાં રહેતા દક્ષેશ રમણભાઇ શાહ ફર્નિચર તથા ઇન્ટીરીયર ડિઝાઇનરનું કામ કરે છે. ગત ૧૦મી તારીખે સાંજે મકાન બંધ કરીને પરિવાર તથા પોળના અન્ય રહીશો સાથે શ્રીનાથજી મંદિરે દર્શન કરવા ગયા હતા. તે રાત્રે તસ્કરોએ દક્ષેશ શાહના મકાનને નિશાન બનાવીને લાકડાના દરવાજા પર લગાવેલું લોક કાપી નાંખ્યુ હતું.
(6:44 pm IST)