News of Thursday, 11th July 2019
વકફ બોર્ડમાં નવા સભ્યોની નિમણુંક પ્રશ્ને હાઇકોર્ટમાં રિટ અરજી
રાજકોટઃ ગુજરાત સ્ટેટ વકફ બોર્ડનો કાર્યકાળ પુર્ણ થઇ ગયો હોવા છતા નવા સભ્યોની નિયુકતી નહિ કરવા સરકારના પગલાંને પડકારતી હાઇકોર્ટમાં રીટ થઇ છે. હાઇકોર્ટે રાજય સરકારને સોંગદનામા સ્વરૂપે જવાબ રજુ કરવાનો આદેશ આપ્યો છે.
અરજદારોનો આક્ષેપ છે કે સભ્યોનો કાર્યકાળ ૨૦૧૬માં પૂર્ણ થયો હોવા છતાં હજુ પણ તેઓ હોદ્દો ભોગવી રહયા છે. અરજદાર તરફથી રજુઆત કરાઇ છે કે સરકારે ૨૦૧૧માં નવા વકફ બોર્ડ અને તેના સભ્યોની નિયુકતી કરી હતી. આ બોર્ડનો તેમજ ચેરમેન એ.આઇ. સૈયદનો કાર્યકાળ ૨૧/૨/૨૦૧૬ના રોજ પુર્ણ થયો છે. છતાં હજુ સુધી નવા બોર્ડ કે ચેરમેનની રચના કરાઇ નથી. ઉપરાંત સભ્યોની નિયુકિતમાં પણ કેટલીક વિશેષ કેટેગરી રાખી છે.
(11:41 am IST)