ગુજરાત
News of Wednesday, 15th May 2019

વડોદરાના ફતેપુરામાં પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકની કરપીણ હત્યા કરનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા:ફતેપુરા મંગલેશ્વરઝાપા વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતે યુવકની હત્યા કરવામાં આવી હતી. જે ગુનામાં પકડાયેલા આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

આ અંગેની વિગત એવી છે કે પ્રેમ પ્રકરણ બાબતે ફતેપુરા મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં રહેતા કૃણાલ અંબાલાલ સોલંકી તથા રવિ પ્રદિપભાઈ સોલંકી વચ્ચે પ્રેમપ્રકરણ બાબતે ઝઘડો ચાલતો હતો. ગત તા.૩૦-૯-૨૦૧૮ના બપોરે પોણા બે વાગ્યે રવિ અને કૃણાલ વચ્ચે ઝઘડો થયો હતો. કૃણાલે ખંજર વડે રવિને ગંભીર ઈજાઓ પહોંચાડી ખાડામાં ધક્કો મારીને ફેંકી દેતાં રવિનું મોત નિપજ્યું હતુ. આ ગુનામાં વારસીયા પોલીસે આરોપી કૃણાલ સોલંકીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.

(5:36 pm IST)