ગુજરાત
News of Thursday, 8th November 2018

પૂર્વ કેન્દ્રીયમંત્રી શંકરસિંહજી વાઘેલાએ લીધી અલ્પેશ કથિરિયાના પરિવારની મુલાકાત

 

સુરત :કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શંકરસિંહ વાઘેલા સુરતની મુલાકાતે હતા. જ્યાં તેમણે રાજદ્રોહ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના પરિવારની મુલાકાત લીધી હતી. અલ્પેશના પરિવારને દિવાળી શુભેચ્છા આપી હતી વેળાએ શંકરસિંહજી વાઘેલાએ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને  રામ મંદિર મુદ્દે વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર કેટલાક સંતો લોકોને છેતરી રહી છે.

(10:20 pm IST)