News of Thursday, 8th November 2018
અમદાવાદના વાળીનાથ ચાર રસ્તા પાસે લાકડાના પીઠામાં ભીષણ આગ
અમદાવાદના વાળીનાથ ચાર રસ્તા પાસે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.અહીં લાકડાના પીઠામાં આગ લાગી હતી. જેથી ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરેતે પહેલા આગ પર કાબુ મેળવ્યો હતો.
(10:30 pm IST)