અમદાવાદના સીજીરોડ પર વેપારીએ પૈસા આપવાની ના કહેતા પથ્થરમારો કરાયો
અમદાવાદ:સીજીરોડ પર પાર્કિંગના પૈસા બાબતે કોન્ટ્રાકટરની દાદાગીરી સામે આવી છે. વેપારીએ પૈસા આપવાની ના પાડતા ટોળાએ દુકાન ઉપર પથ્થરમારો કરીને કારની તોડફોડ કરી હતી. આ ઘટના અંગે નવરંગપુરા પોલીસે પાર્કિંગના કોન્ટ્રાકર સહિત ૨૫ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે સીજી રોડ પર સ્ટેડિયમ સર્કલ પાસે આવેલા સન કોમ્પલેક્ષમાં પ્રથમ માળે ધ ટેકનો ટાઉન નામની મોબાઇલની દુકાન ધરાવતા હર્ષીલભાઇ દિનેશભાઇ અગ્રવાલે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, ગઇકાલે સાંજે સીજીરોડ પર પાર્કિંગના કોન્ટ્રાકટરના માણસો કાર પાર્કિંગના પૈસા લેવા આવ્યા હતા. જેથી દુકાનદારે કોર્પોરેશન સાથે વાતચીત ચાલે છે, તેનો નિર્ણય આવ્યા બાદ પૈસા આપવાની વાત કરી હતી, આ અંગે તકરાર થતાં ફરિયાદી પોલીસ સ્ટેશનને પહોચ્યા હતા.