ગુજરાત
News of Wednesday, 11th July 2018

ભારે વરસાદને લીધે સરસ્વતી નદીમાં પૂર: માધવરાય મંદિરની જળ સમાધિ

રાજકોટ :છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં વરસી રહેલા વરસાદને પગલે સૌરાષ્ટ્રના ખેડૂતો ગેલમાં આવી ગયા છે. ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ જોવા માળ્યો હતો. જ્યારે બીજી બાજુ જુનાગઢ જિલ્લો હજી પણ વરસાદની રાહ જોઈ રહ્યો છે. ગીર વિસ્તારના પડેલા ભારે વરસાદને લીધે સરસ્વતી નદીમાં ભારે પૂર આવ્યુ હતુ જેના લીધે નદી કિનારે આવેલુ માધવરાય મંદિર પાણીમાં ગરક થઈ ગયુ હતુ.

(12:44 pm IST)