ઉમરેઠના ધૂળેટામાં ભત્રીજા વહુના ઠપકા બાબતે ઉશ્કેરાયેલ શખ્સોએ ચારને ગડદાપાટુનો માર મારતા ગુનો દાખલ
ઉમરેઠ:તાલુકાના ધૂળેટા ગામે ભત્રીજા વહુના ઠપકા બાબતે ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ એકને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધૂળેટા ગામે રહેતા ઉસ્માનખાન હસનખાન પઠાણ ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે જમીને ઘરે બેઠા હતા ત્યારે તેમના મોટાભાઈ યાકુબભાઈના દિકરા ઈમરાનખાનના સાસુ-સસરા તેમના ઘરે આવ્યા હતા જ્યાં સીકંદરભાઈને કહેલ કે તમારી દિકરી ફીરદોસબીબી અમારા કહ્યામા નથી અને અમારા ઘરની આબરૂ કાઢે છે. જેથી સીકંદરભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કર્યો હતો જેમનુ ઉપરાણું લઈને શહેજાદખાન સીકંદરખાન પઠાણ, ફીરીદાબીબી સીકંદરખાન પઠાણ તથા ફીરદોસબીબી પઠાણ આવી ચઢ્યા હતા અને વચ્ચે પડનાર બશીરખાનને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.