ગુજરાત
News of Monday, 4th June 2018

તારાપુર તાલુકાના મહિયારીમાં રાત્રીના સુમારે નજીવી બાબતે એક શખ્સે બેને પથ્થર મારી ઇજા પહોંચાડી

તારાપુર: તાલુકાના મહિયારી ગામે ગત ૩૧મી તારીખના રોજ રાત્રીના સુમારે નજીવી બાબતે એક શખ્સે આરસીસી પથ્થર લઈને બેને માર મારીને ફ્રેક્ચર કરી નાંખતા આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૩૧મી તારીખના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે ઈન્દ્રજીત ઉર્ફે ભોલાભાઈ સામંતસિંહ ઉર્ફે કવાભાઈ ચૌહાણે મુળજી ફળિયામાં રહેતા બળદેવસિંહ ઉદેસિંહ ચૌહાણને કહેલ તે તારા ભાઈને લીઘે મારા ભાઈને માર્યો છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને આરસીસીનો પથ્થર બળદેવસિંહને માથામાં પાછળના ભાગે મારી દીધો હતો જ્યારે ઉદેસિંહ વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ ડાબા જડબા ઉપર પથ્થર મારીને ફ્રેક્ચર કરી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:24 pm IST)