ગુજરાત
News of Monday, 4th June 2018

પાટણના મઢુત્રા ગામમાં તળાવમાં ન્હાવા પડેલા ૩ બાળકોના મોત : ૪નો બચાવ

પાટણ, તા. ૪ : પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામના તળાવમાં ગામના ૭ જેટલા બળકો ન્હાવા પડયા હતાં. જેમાં એકનો પગ લપસતા તે ડુબવા લાગ્યો અને તેને બચાવવા જતા છ બાળકો ડુબવા લાગ્યા હતાં  તળાવના કાંઠે કપડા ધોતી મહીલાઓને જાણ થતાં તાત્કાલીક ગામ લોકોને જાણ કરતા ગામમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી આવ્યા હતાં.

તરવૈયાઓની મદદથી બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવેલ જેમાં ત્રણ બાળકોના ડુબી જવાથી કરૂણ મૃત્યુ થયા છે અને એક બાળની તબીયત નાજુક જણાતા તેને સારવાર અર્થે રાધનપુર ખસેડવામાં આવેલ છે.

મૃત્યુ પામનાર દલિત પરિવારના ભરતભાઇ ભલાભાઇ રાઠોળ, પ્રવિણભાઇ બારોટ, હિના શંભુભાઇ પરમારના કરૂણ મૃત્યુ થતા ગામમાં ગમગીનતા  છવાઇ જવા પામી હતી.

(3:57 pm IST)