News of Monday, 4th June 2018
તળાવમાં ડૂબી જવાથી માતા-પુત્ર તેમજ ભાણેજનું મોત
ભાણેજને ડૂબતો બચાવવા માતા-પુત્ર તળાવમાં પડયા ગંભીર હાલતમાં સારવાર દરમિયાન મોતને ભેટયા
રાજકોટ, તા.૪: અમદાવાદના લાભા ગામના તળાવમાં નહાવા પડેલો ભાણેજ ડૂબી રહ્યો હોવાના સમાચાર મળતા તેને બચાવવા માટે માતા આયસાબહેન મુઝફરઅલી સૈયદ અને ૧૭ વર્ષનો પુત્ર અસરફે તળાવમાં ઝંપલાવ્યું હતું. કમનસીબી એ હતી કે ભાણેજને બચાવવા ગયેલા માતા-પુત્ર પણ પાણીમાં ડૂબી ગયા હતા. જો કે સ્થાનિક લોકોએ માતા-પુત્રને બહાર કાઢીને તુરત હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં સારવાર દરમિયાન બંન્ને મોતને ભેટયા હતા. બીજીતરફ ફાયર બ્રિગેડની તરવૈયાની ટીમની ભારે જહેમત બાદ પંદર વર્ષના ભાણેજની લાશ બહાર કાઢી હતી. આમ તળાવમાં ડૂબી જવાથી માતા-પુત્ર અને ભાણેજના કરુણ મોત નીપજતા લાંભા ગામમાં મોતનો માતમ છવાઇ ગયો હતો.
(3:56 pm IST)