ગુજરાત
News of Monday, 4th June 2018

દેશ અને રાજ્યમાં કોમી હિંસા ભડકાવવાનો વધુ એક પિશાચી પ્રયાસ : સોશ્યલ મીડિયામાં નરાધમએ વાયરલ કર્યો ઝેર ઓકતો વિડીયો : સમાજના તમામ વર્ગને આવા જધન્ય પ્રયાસમાં ન ફસાવવા શ્રેષ્ઠીઓની અપીલ : સરકાર આવા લોકોને તાત્કાલીક પકડીને પાઠ ભણાવે તેવી ઉઠી લોકમાંગ

રાજકોટ : હાલના સમયમાં, સોશ્યલ મીડિયાનો જેટલો સારો ઉપયોગ થઈ શકે છે તેના કરતા દુરઉપયોગ વધુ થઈ રહ્યો છે. સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવવા, કોમી તનાવ ઉભો કરવા કે કોઈને પણ વ્યક્તિગત હલકો ચીતરવા જેવી પિશાચી પ્રવૃતીઓ માટે અમુક નરાધમો સોશ્યલ મીડિયાનો દુરઉપયોગ કરી રહ્યાનું દેખાઈ રહ્યું છે.

આવોજ એક વધુ જધન્ય પ્રયાસ ફરી એકવાર સામે આવ્યો છે. સોશ્યલ મીડિયામાં વધૂ એક આવો પિશાચી વાણી ઓકતો વિડીયો ફરતો કરવામાં આવ્યો છે. વિડીયોમાં એક ચોક્કસ કોમ માટે ખુબજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કોઈ પણ ધર્મપ્રેમી વ્યક્તિ, આ વિડીયો જોઇને તરતજ ઉશ્કેરાઈ શકે છે, પણ સમજદાર વ્યક્તિઓ આ વિડીયો જોઇને તરતજ સમજી શકે છે કે આ વિડીયો ફક્ત ને ફક્ત બે કોમ વચ્ચે વેમનષ્ય ફેલાવવા માટેજ કોઈ નરાધમે બનાવ્યો છે, જેને સમાજના ભાગલા પડાવવામાજ રસ હોય શકે!! અને હવે લોકોએ પણ પોતે સમજવાની જરરુ છે કે આવા પિશાચી વિડીયો કે અફવાહો ફેલાવનાર લોકોને કોઈ નાત કે જાત સાથે લેવાદેવા નથી હોતો, એ લોકો તો બસ સમાજમાં અરાજકતા જ ફેલાવામાં માનતા હોય છે.

સમયાંતરે આવા અભદ્ર વિડીયો અને અફવાહો ફેલાવનારાઓને સરકાર તાત્કાલીક અસરથી પકડી ને ઉગતાજ ડામી દે તેવી તીવ્ર લોકમાંગ ઉભી થઈ છે. તો બીજી તરફ સમાજ શ્રેષ્ઠીઓએ પણ જાહેર જનતાને અપીલ કરી છે કે આવા વિડીયો વાયરલ - ફરતા કરવાના એ નરાધમોના મનસુબાનો સાથ આપવા કરતા, લોકો આવા વિડીયો કે અફવાને બીજાને ફોરવર્ડ કરવા કરતા, ડિલીટ જ કરી નાખે, જેથી આપણો સમાજ અખંડ રહે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આવા નરાધમ લોકો વિરુદ્ધ ક્યારે અને કેવા પગલા ભરશે???

(3:33 pm IST)