ગુજરાત
News of Monday, 4th June 2018

સુરતના 15 દિવસ પહેલા ગૂમ થયેલ સોની વેપારીની કોહવાયેલી હાલતમાં લાશ મળી

મનીષ ચોક્સી 15 દિવસ પહેલા ઘરે સ્યુસાઇડ નોટ મૂકી ગૂમ હતા :લેણદારોથી કંટાળી ઘર છોડ્યું હતું

સુરતના કતારગામ સ્થિત લકાં વિજય ઓવરા પાસેથી એક મૃતદેહ મળી આવતા જેની ઓળખ 15 દિવસ પહેલાં ગુમ થયેલા વેપારી મનીષ ચોકસીની હોવાની થઈ હતી. સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારીને દેવું થઈ જતાં 15 દિવસ પહેલાં ગુમ થઈ ગયા હતા.

 આ અંગેની વિગત મુજબ સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતાં મનિષ ચોક્સી નામનાં એક સોના ચાંદીના વેપારી 15 દિવસ પૂર્વે ઘરે સુસાઈડ નોંટ છોડીને ગુમ થઈ ગયા હતા. જે બાદ પરિવારજનોએ તેમની શોધોખોળ કરી હતી અને પોલીસને પણ આ બાબતે જાણ કરી હતી.તેમને ધંધામાં દેવું વધી જતાં લેણદારોની ઉઘરાણીથી કંટાળી જઈને ઘર છોડી દીધું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. જ્યારે લેણદારો પણ ઉઘરાણી માટે ઘરે આવતા હોવાથી ભારે ટેન્શનમાં આવી ગયા હતા.

 દરમિયાન આજરોજ કતારગામ વિસ્તારમાં આવેલા લંકા વિજય ઓવારા પાસેથી તેમનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં કપડાના આધારે તેમની ઓળખ થઈ હતી. જેની જાણ તેમના પરિવારજનોને થતાં સ્થળ ઉપર દોડી ગયા હતા. હાલમાં મહિધરપુરા પોલીસે ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે

(1:57 pm IST)