News of Wednesday, 16th May 2018
પંચમહાલમાં ગોધરા છકડીયા ચોકડી પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતઃ અેક જ પરિવારના ૩ વ્યકિતના મોતથી અરેરાટી
પંચમહાલઃ પંચમહાલના ગોધરાના છકડીયા ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત ઘટનાસ્થળે જ થયા હતા. ટ્રક ચાલકે સ્ટિંયરીંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અને 3 લોકોના મોત થયા હતા. મૃતકોમાં દંપતિ અને તેના અેક બાળકનો સમાવેશ થાય છે.
હાલ તો આ સમગ્ર મામલે પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને ટ્રકચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. આમ 3 લોકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
(7:34 pm IST)