News of Friday, 20th November 2020
ખેડબ્રહ્મામાં માતાજીના મંદિરે નવા વર્ષની શરૂઆતમાં 60થી70 હજાર શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો
ખેડબ્રહ્મા:ખેડબ્રહ્મા માતાજી મંદિરમાં નૂતન વર્ષાભિનંદનથી આજ સુધી અંદાજે ૬૦ થી ૭૦ હજાર યાત્રાળુઓએ દર્શન કરી માના આર્શિવાદ લીધા હતા. ખેડબ્રહ્મા ખાતે આવેલ પૌરાણિક યાત્રાધામ મા અંબાના દર્શન માટે નૂતનવર્ષાભિનંદન એકમથી આજે લાભ પાંચમ સુધીમાં ૬૦ થી ૭૦ હજાર યાત્રાળુઓ દર્શન કર્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા તેમજ મુંબઈથી દર વર્ષે આવતા યાત્રાળુઓ આ વર્ષે પણ મા અંબાના દર્શન કરવા આવ્યા હતા. તેમ મંદિર ટ્રસ્ટના મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યું હતું. રોજ રોજ વહેલી સવારથી જ યાત્રાળુઓ દર્શન માટે આવતા હતા. આ તમામ યાત્રાળુઓને સેનેટાઈઝ તેમ મશીનગનથી ચેક કરી માસ્ક પહેરીને દર્શનનો લાહવો લેવા દીધો હતો.
(5:13 pm IST)