ભાજપ પ્રદેશ ચિંતન બેઠક કોરોનાની પરિસ્થિતિને કારણે મોકૂફ :ભરત પંડયા
પ્રજાલક્ષી, સંગઠનલક્ષી, ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવનાર હતી
ગાંધીનગર, તા. ર૦ : ભાજપ પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડયાએ મીડિયાને માહીતિ આપતાં જણાવ્યું હતું કે ભાજપમાં સમય સમય પર ચિંતનબેઠક કરવાની પરંપરા રહી છે.આ ચિંતનબેઠકમાં પ્રજાલક્ષી, સંગઠનલક્ષી, ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવતી હોય છે.
તા. ૨૧-૨૨ નવેમ્બરનાં રોજ ભાજપની પ્રદેશની ચિંતનબેઠક પ્રમુખશ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી અને રાષ્ટ્રીય સહસંગઠનમંત્રીશ્રી વી.સતીષજીની વિશેષ ઉપસ્થિતિ માં થનાર હતી જેમાં નાયબમુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, સંગઠન પ્રદેશ મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા, અને પ્રદેશ મહામઁત્રીશ્રીઓ અને મુખ્ય પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહેવાનાં હતાં .
આ પ્રદેશ ચિંતન બેઠક કોરોનાની પરિસ્થિતિને કારણે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવી છે.
તા. ૨૧-૨૨ નવેમ્બરનાં રોજ યોજાનાર ભાજપ ચિંતનબેઠક મુલત્વી રાખેલ છે.