ગુજરાત
News of Wednesday, 20th November 2019

એક આઈએએસ અધિકારી નિત્યાનંદને બચાવવાની ભૂમિકામાં : કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ

આશા છે કે ગુજરાતના મીડિયાના મિત્રો ઈન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ કરશે.

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમનો વિવાદ વકર્યો છે. યુવતી ગુમ અને ડીપીએસ સ્કૂલના મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉઠ્યા છે.ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે એક આઈએએસ અધિકારી નિત્યાનંદને બચાવવાની ભૂમિકામાં છે અને તે આઘાતજનક છ

  શક્તિસિંહે ટ્વીટ કરીને લખ્યું કે જ્યારે અમદાવાદ પોલીસ દ્વારા પ્રશંશનિય કાર્ય થયું ત્યારે આધાતજનક માહિતી એ પણ છે કે એક આઈએએશ અધિકારી નિત્યાનંદને બચાવી રહ્યા છે.

તેઓ નિત્યાનંદના ભક્ત છે માટે સ્વામી અને ડીપીએસનું મેનેજમેન્ટ કરી રહ્યા છઆશા છે કે ગુજરાતના મીડિયાના મિત્રો ઈન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ કરશે.

(8:49 pm IST)