ખેડા જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ અપમૃત્યુના બનાવો: અગમ્ય કારણોસર બે મહિલાએ ફાસો કહી જીવન ટૂંકાવ્યું
ખેડા:જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ અપમૃત્યુના બનાવો બન્યા છે. જેમાં પહેલો બનાવ નડિયાદ તાલુકાના હરજનપૂર કોટ ગામે,જ્યારે બીજો બનાવ ઠાસરા તાલુકાના ઢુણાંદરા ગામે બન્યો હતો. બંને બનાવો અંગે સ્થાનિક પોલીસ મથકોએ ફરિયાદ નોંધાઇ છે.
અપમૃત્યુનો પહેલો બનાવ નડિયાદ તાલુકાના હરજપૂર કોટ ગામે આવેલ ખોડીયાર પુર સીમમાં થયો હતો.જેમાં ખોડીયાર પુર સીમમાં રહેતા સરલાબેન પ્રભાતભાઇ ડાભી ઉં.૫૦ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે મોભ સાથે સાડી બાંધી ગળેફાસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.
આ બનાવ અંગે પ્રભાતભાઇ શિવાભાઇ ડાભી રહે,હરજનપૂર કોટ ગામે ચકલાસી પોલીસે જાણ કરતા ચકલાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુનો બીજો બનાવ ઠાસરા તાલુકાના ઢુણાંદરા ગામે થયો હતો.જેમાંઢુણાંદરા ગામે રહેતા ભૂરીબેન ભલાભાઇ ઝાલા ઉં.૩૫ તા.૧૧-૧૧-૧૯ના રોજ પ્રાઇમસ પર રસોઇ બનાવતા હતા.તે સમયે પ્રાયમસ ફાટતા આગ લાગી હતી.જેમાં ભૂરીબેન શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા.તેઓને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.