News of Tuesday, 20th October 2020
બાલાસિનોરમાં વેરા વસુલાત ઝુંબેશ : 5 હજારથી મોટી રકમના બાકીદારોના પાણી અને ગટર જોડાણ કાપ્યા
આ ઝુંબેશ આવનારા દિવાળીના તહેવારો સુધી ચાલુ રાખવામાં આવશે.
બાલાસિનોર: શહેરમાં 5 હજાર ઉપરની મોટી રકમના બાકીદારોના પાણી અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલના જણાવ્યા મુજબ આ ઝુંબેશ આવનારા દિવાળીના તહેવારો સુધી ચાલુ રાખવામાં આવશે. તેમજ તમામ વોર્ડના દરેક વિસ્તારમાં આ ઝુંબેશ શરુ કરવામાં આવશે.
વધુમાં ચીફ ઓફિસર પટેલે વેરા વસુલાતના આ સઘન પ્રયાસથી બાલાસિનોર નગરપાલિકાની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તેવા પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું છે.
(11:10 am IST)