અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આતંક મચાવનાર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
પોલીસે પાંચ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી
અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારોમાં ઓઢવ, અમરાઈવાડી, રામોલ,વટવા અને બાપુનગર સહિતના આસપાસના વિસ્તારમાં આતંક મચાવનાર ટોળકી સામે બાપુનગર પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે પાંચ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓ અલગ અલગ ગુનામાં જેલમાં જ બંધ છે. આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં અલગ અલગ ગંભીર પ્રકારના ગુના જેવા કે હત્યા, હત્યાની કોશિશ અને આર્મ્સ એકટ મુજબ નોંધાયેલા છે.
આરોપી ગૌરવ ચૌહાણની સામે હત્યા, હત્યાની કોશિશ, પ્રોહીબિશન અને આર્મ્સ એકટ મુજબના કુલ 22 ગુના, સંજય ભદોરીયા સામે 12 ગુના, કૃણાલ બારોટ સામે ખંડણી સહિતના 10 ગુના, રાહુલ ઉર્ફે સર્કિટ સામે હત્યાની કોશિશ સહિતના 8 ગુના અને અજય કાંચા સામે હત્યાની કોશિશ, આર્મ્સ એકટ અને મારામારીના ગુના નોંધાયેલા છે, ગૌરવ સહિત ચાર લોકો જેલમાં બંધ છે જ્યારે એક આરોપી સંજય ભદોરીયાની બાપુનગર પોલીસે આ ગુનામાં ધરપકડ કરી છે.