ગુજરાત
News of Sunday, 20th September 2020

મદ્રિસણા ખાતે વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ, બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ

સેવા સપ્તાહ અંતર્ગત વિઠલાપુર ખાતે માસ્ક તથા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ

તસવીરઃ- ચૌતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા), જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સેવા સપ્તાહ અંતર્ગત મદ્રિસણા મુકામે રબારી સમાજના વિરમ બાપાના મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત નાના બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં લખુભા સોલંકી, નરેન્દ્રભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, મહેન્દ્રસિંહ સોલંકી, કિરીટસિંહ  સોલંકી,  બટુકસિંહ સોલંકી, આનંદીબેન પટેલ, હેમાબેન પટેલ, પરબતજી ઠાકોર, જીતુભાઈ પટેલ મદ્રિસણા  સરપંચ સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
        સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડલ તાલુકાના વિઠલાપુર ખાતે માસ્ક તથા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં માંડલ ભાજપ સંગઠન હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:24 pm IST)