વિરમગામના ભોજવા જોગણી માતાજીના મંદિર અને દલિત મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા ઉજવવામાં આવી રહેલ સેવા સપ્તાહ અંતર્ગત વિરમગામ વોર્ડ નંબર 1 ભોજવા જોગણી માતાજીના મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત વિરમગામના દલિત મુક્તિધામ ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપભાઈ ડોડીયા, સુરેશભાઈ જેઠાભાઈ પટેલ, વિરમગામ સંગઠના મહામંત્રી હિતેશભાઈ મુનસરા, સેવા સહકારી મંડળીના ચેરમેન ખુમાનસિંહ ઝાલા, રવિ સુરેન્દ્રસિંહ ઝાલા, અજય ગોલવાડીયા, નાનુભાઈ ગોલવાડીયા, મહેશભાઈ પરમાર, મહેન્દ્રભાઈ જાદવ તથા ભોજવા ગામના કાર્યકરો, જોગણી માતાજી મંદિરના સેવકો હાજર રહ્યા હતા.