ગુજરાત
News of Thursday, 20th September 2018

પ્રાતિજના દલપુર નજીક અજાણ્યા વાહનની હડફેટે બે ભાઈઓ મોતને ભેટ્યા

પ્રાંતિજ:ના દલપુર પાસે અંબાજી સંઘ સાથે પગપાળા જઈ રહેલા દસ્ક્રોઈ તાલુકાના ચવલતજ મઠ ગામના બે કૌટુંબીક ભાઈઓને અજાણ્યા વાહન ચાલકે વહેલી સવારે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ ભાદરવી પૂનમના મેળામાં સંઘ સાથે લાખો પદયાત્રીઓ ઉત્તર ગુજરાતમાં માર્ગોમાંથી અંબાજી જાય છે. આ પદયાત્રીઓની સુરક્ષા સામે પણ પ્રશ્નો સર્જાઈ રહ્યા છે.

દસ્ક્રોઈ તાલુકાના ચવલતજ મઠ ગામનો અંબાજી પગપાળા સંઘ મહાકાળી યુવક મંડળ દ્વારા છેલ્લા ૨૭ વર્ષથી પગપાળા સંઘ અંબાજી જાય છે. આ સંઘ સાથે છેલ્લા છ વર્ષથી બંને કૌટુંબીક ભાઈઓ અંબાજી જાય છે ત્યારે પ્રાંતિજના જેસીંગપુરમાં રાત્રી રોકાણ કર્યું હતું

 

(5:01 pm IST)