આણંદ તાલુકાના ઓડ ગામે નજીવી બાબતે તલવારથી થયેલ હુમલામાં એકને ગંભીર ઇજા
આણંદ: તાલુકાના ઓડ ગામે આવેલા રોહિતવાસમાં કૂતરો કહેવાનો વહેમ રાખીને ત્રણ શખ્સોએ તલવાર તથા લાકડીઓથી હુમલો કરીને બેને તલવાર મારી ઈજાઓ પહોંચાડતા આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઓડના રોહિતવાસમાં રહેતા સાગરભાઈ નરેશભાઈ ચૌહાણે નજીકમાં જ રહેતા કમલેશભાઈ ડાહ્યાભાઈ રોહિતને કૂતરો કહેવાનો વહેમ રાખીને ઘરેથી લાકડી લઈ આવ્યો હતો અને ઝઘડો કરી ગમે તેવી ગાળો બોલીને લાકડી કૈલાશબેનને જમણા હાથે બાવળા ઉપર મારી દીધી હતી. જ્યારે નરેશભાઈ રણછોડભાઈ ચૌહાણે તલવાર લઈ આવીને ડાહ્યાભાઈના કપાળના ભાગે તેમજ કૈલાશબેનને નાક ઉપર મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. ભૌતિકભાઈ નરેશભાઈ ચૌહાણે પોતાની પાસેની લાકડીથી કમલેશભાઈને કપાળના ભાગે મારીને ઈજાઓ પહોંચાડી હતી.