ગુજરાત
News of Thursday, 20th September 2018

ધુમ્રપાનના દૃશ્યો સામે શીખ સમાજ લાલઘૂમ

અમદાવાદ : શીખ સમાજના પ્રતિનિધિઓ દ્વારા ફિલ્મ ''મન મર્જીયા''નો વિરોધ કરાયો છે અને કલેકટરને આવેદન અપાયુ છે. ફિલ્મની અંદર શીખ સમાજની લાગણી દુભાય તે પ્રમાણેના દૃશ્યો બતાવવામાં આવ્યા હોવાનું કહીને જણાવાઈ રહ્યું છે કે આ ફિલ્મમાં અમુક દૃશ્યો શીખ યુવક તેમજ યુવતીઓને ધુમ્રપાન કરતા તેમજ સીગારેટ પીતા અને શીખ ધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મને બેન કરવાની માંગણી કરવામાં આવી હતી. ફિલ્મના ડીરેકટર અનુરાગ કશ્યપ અને અભિનેતા અભિષેક બચ્ચનનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

(3:12 pm IST)