કાંકરેજના જામપુરા કેનાલમાં પ્રેમી પંખીડાએ મોતની છલાંગ લગાવી:બંને ત્રણ દિવસથી ઘરેથી હતા લાપતા
બંને પ્રેમી યુગલએ સાથે કમરમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી
બનાસકાંઠા ના જામપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પ્રેમી પંખીડાએ મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો છે શિહોરી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતકોની લાશ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે મળતી વિગત મુજબ કાંકરેજ તાલુકાના જામપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી આજે પેમી યુગલની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કેનાલ પાસેથી પસાર થતા લોકોએ કેનાલમાં બે તરતી લાશોને જોતા જ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
આ ઘટનાને પગલે શિહોરી પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે આવી પહોંચી હતી. જેમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેની લાશને બહાર કાઢી હતી.
બંને પ્રેમી યુગલએ સાથે કમરમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી. જ્યારે યુવક કાંકરેજના ધનેલા ગામનો રહેવાસી સતીશ પ્રજાપતિ હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું હતું.