News of Tuesday, 20th August 2019
વડોદરા: તરસાલી નજીક એરફોર્સના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 2.65 લાખની મતાની ઉઠાંતરી કરી
વડોદરા:તરસાલી ન્યૂઇયરા સ્કૂલ રોડ પર શાંતિકુંજ સોસાયટીમાં રહેતા એરફોર્સ કર્મચારીના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડા ૮૫ હજાર મળીને પોણા ત્રણ લાખની મત્તા ચોરી ગયા હતા.
ચોરીના બનાવની મળતી માહિતી મુજબ તરસાલીની શાંતિકુંજ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઇ બ્રીજનંદન ગીરી બેંગ્લોરમાં એરફોર્સમાં નોકરી કરે છે, અને અહીંયા તેમના પત્ની પુત્ર સાથે રહે છે. ગત ૧૫મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હોય નીતાબેન મકાન બંધ કરીને પુત્ર અને ભાઇની સાથે મુંબઇમાં રહેતી બહેનના ઘરે ગયા હતા.
(5:37 pm IST)