ગુજરાત
News of Tuesday, 20th August 2019

પાલનપુર બસ સ્ટેશન વિસ્તારના નાળામાંથી અજાણ્યા શખ્શની લાશ મળી :અનેક તર્ક વિતર્ક

મૃતકના મોઢા પર પથ્થર જોવા મળતા હત્યા કે કુદરતી મોત ;કોકડું ગૂંચવાયું

પાલનપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી એક અજાણ્યા શખ્શની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે બસ સ્ટેશન વિસ્તારમાં ગટરના નાળામાં પડેલી લાશ મળતાં તાત્કાલિક પૂર્વ પોલીસને જાણ કરવામાં આવી હતી.

   મોડી રાત્રે ઘટના બની હોવાનું અનુમાન છે જોકે મુર્તક ઈસમના મોઢા પર પથ્થર જોવા મળતા પોલીસ સહિત લોકોમાં અવઢવ મુકાયા હતાં. ઈસમનું કુદરતી મોત થયું છે કે હત્યા કરવામાં આવી છે એનું કોકડું ગુંચવાયું છે.હાલમાં તો પોલીસે લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

(1:33 pm IST)