કામરેજના નેત્રંગ ગામમાં બ્રહ્મકમળ ફૂલના દર્શને ઉમટયાં લોકોઃ શ્રાવણ માસમાં જ ખીલતું હોય છે બ્રહ્મકમળઃ રાજકોટમાં પણ આવો સફળ પ્રયોગ થયેલ
કામરેજઃ હિંદુ સમાજના પવિત્ર શ્રાવણ માસમાં સૌ કોઇ પ્રભુભકિતમાં લીન બની ગયાં છે. ભોળાનાથ શંભુને રીઝવવા માટે શિવાલયોમાં ભકતોની ભીડ ઉમટી રહી છે. તેવામાં સુરતના કામરેજ પાસે આવેલાં નેત્રંગ ગામમાં બ્રહમકમળના ફૂલના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં.
સુરતના કામરેજના નેત્રંગ ગામે બ્રહ્મ કમળનું ફૂલ ખીલ્યું હોવાની જાણ થતાં શ્રધ્ધાળુઓ તેના દર્શન માટે ઉમટી પડયાં હતાં. રંજનબેન મહેતાના ઘરના વાડામાં લોકોએ રાત્રી દરમ્યાન પૂજાપાઠ કર્યા હતાં. ૧૦૦ છોડમાંથી ફકત એક છોડ પર બ્રહ્મ કમળ ખીલતું હોવાની લોકવાયકા છે. આ ઉપરાંત ફકત શ્રાવણ માસ દરમ્યાન જ છોડ પર બ્રહ્મ કમળ ફૂલ ખીલે છે. ભકતોએ ભકિતભાવથી ફૂલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આવું ફૂલ રાજકોટમાં પણ એક પ્રોફેસરના ઘેર ઊગ્યું છે. પ્રકાશબાપુએ આ પ્રયોગ કરાવ્યો હતો. તેમ શ્રી અશ્વિન છત્રાળાએ જણાવ્યું છે.