અમદાવાદ એરપોર્ટ પર એબ વિમાનો કેન્સલ થતા મુસાફરો રઝળી પડ્યા :10 ફ્લાઇટો મોડી
ઓપરેશન રીઝનના કારણે બે ફલાઇટો રદ:અન્ય કોઇ ફલાઇટ ન હોવાથી મુસાફરો અટવાયા
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી આજે બે ફલાઇટ કેન્સલ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. એરલાઇન કંપનીએ ઓપરેશન રીઝનના કારણે આ બંને ફલાઇટો રદ કરી હતી
અમદાવાદથી આજે સવારે 8:50 કલાકે ઇન્ડિગોની ફલાઇટ બેંગ્લુરૂની ફલાઇટ રદ કરી હતી જોકે એરલાઇન કંપનીએ પ્રવાસીઓને મેસેજ કરી દીધો હતો. પરંતુ કેટલાકના સિસ્ટમ પર એજન્ટના હોવાથી તેમને ખ્યાલ ન હોવાથી એરપોર્ટ પર પહોંચી ગયા હતા, દરમિયાન અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી તેમને પરત ફરવુ પડ્યુ હતુ
અન્ય ઉડાનોમાં સ્પાઇસજેટની કિશનગઢની ફલાઇટ પણ બપોરે રદ કરવામાં આવી હતી. મહત્વનું એ છે કે આ રૂટ પરની અન્ય કોઇ ફલાઇટ ન હોવાથી મુસાફરો અટવાયા હતા. તે ઉપરાંત અમદાવાદથી રવાના થતી મુંબઇ અને દિલ્હી સહિતની અન્ય સેક્ટરની 10થી વધુ ફલાઇટો તેના નિર્ધારીત સમય કરતા મોડી પડી હતી. જેના કારણે મુસાફરોને ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો અને કલાકો સુધી ટર્મિનલમાં જ બેસી રહેવુ પડ્યુ હતું.