ઉમરેઠના હમીદપુરા નજીક નહેમથી બે મૃતદેહો મળી આવતા અરેરાટી મચી જવા પામી
આણંદ:જિલ્લાના ઉમરેઠ તાબે હમીદપુરા ગામ નજીક નહેરમાંથી બે મૃતદેહો મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટનામાં એક તરફ બેચરી ગામમાં રહેતી એક પરીણિતાનો મૃતદેહ ધોબીઘાટ નજીકથી મળી આવ્યો હતો.
જ્યારે તેનાથી થોડા જ અંતરે દુરથી પાણીમાં તણાતા એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બંન્ને મૃતદેહોને પાણીની બહાર કાઢી આકસ્મિક મૃૃત્યુની નોંધ લઈ ઉમરેઠ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ ઘટનામાં ઉમરેઠ પોલીસના જણાવ્યા મુજબ ઉમરેઠ તાબે હમીદપુરા પાસેથી પસાર થતી કેનાલમાંથી બે મૃતદેહો મળી આવતા ચકચાર મચી હતી.
જેમાં ધોબીઘાટ નજીક નહેરમાંથી એક મહિલાનો મૃતદેહ તણાતો મળી આવ્યો હતો. આ મહિલાના મૃતદેહને પાણીની બહાર કાઢી તેની પુછપરછ કરતા બેચરી ગામમાં રહેતા ભાવનાબેન દશરથભાઈ વાઘેલાનો હોવાની માહિતી પોલીસને મળી હતી.