ગુજરાત
News of Saturday, 20th July 2019

હદ થઇ ગઈ : રાધનપુરમાં દીવાલો પર ભીંતચિત્રો દોરવાની કામગીરીમાં પણ ભ્રષ્ટ્રાચારનું ચિતરામણ

નપાના સેનીટેશન ચેરમેને કરી મ્યુનિ.કમિશનરને ફરિયાદ : કર્મચારીઓમાં ફફડાટ

રાધનપુર નગરપાલિકા દ્વારા નગરના કેટલાક સ્થળો પરની દિવાલોને સુશોભીત કરવા ભીતચિત્રો દોરવાની કામગીરીમાં કરાઇ હતી. પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે અને તે બાબતે તપાસની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે

  નગરપાલિકાના સેનીટેશન ચેરમેને પોતાના જ વિભાગના કર્મચારીએ ગેરરીતિ કર્યા બાબતે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી છે. આ ફરિયાદને લીધે પાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે

(12:53 pm IST)